ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે.... બધા જ દિવસે, દરરોજ
આ વિડિયો જુઓ
શ્વાસ લેવો
રાજ્યમાં આપણે જ્યારે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઇએ છીએ:
- ઈશ્વરનું વચન – બાઇબલ
- પ્રાર્થના – ઈશ્વર સાથેની આપણી વાતચીત
- ઈશ્વરનું શરીર – મંડળી,ઈસુના અનુયાયીઓ
- ઈશ્વરના કાર્યો– પ્રસંગો, અનુભવો અને કેટલીકવાર તો સતાવણીના પ્રસંગો અને દુ:ખો, જેમાંથી ઈશ્વર પોતાના બાળકોને પસાર થવા દે છે
ઈસુના દરેક અનુયાયી માટે સારા સમાચાર તો એ છે કે જ્યારે આપણે ઈશ્વરનું સાંભળીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઇએ છીએ, અને આપણે જે સાંભળ્યું છે તે બીજાઓને જણાવવા દ્વારા આજ્ઞાપાલન કરીએ છીએ ત્યારે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ - ઈશ્વર વધારે સ્પષ્ટપણે વાત કરશે.
ઉચ્છવાસ બહાર કાઢવો
રાજ્યમાં આપણે જ્યારે ઈશ્વરનું સાંભળીને તે મુજબ કાર્ય કરીએ છીએ ત્યારે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ.
આપણે આજ્ઞાપાલન કરીએ છીએ ત્યારે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ. કેટલીકવાર આજ્ઞાપાલન કરવા દ્વારા ઉચ્છવાસ બહાર કાઢવાનો અર્થ છે આપણા વિચારો,આપણા શબ્દો અને કાર્યોને બદલવા અને ઈસુ તથા તેમની ઇચ્છા મુજબના બનાવવા. કેટલીકવાર આજ્ઞાપાલન કરવા દ્વારા ઉચ્છવાસ બહાર કાઢવાનો અર્થ એવો થાય છે કે ઈસુએ જે આપણને આપ્યું છે તેને બીજાઓને વહેંચવું –ઈસુએ જે આપ્યું છે તે બીજાઓને આપવું – જેથી જેમ ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો છે તેમ બીજા લોકો પણ આશીર્વાદિત થઇ શકે.
ઈસુના અનુયાયી તરીકે શ્વાસ લેવો અને ઉચ્છવાસ બહાર કાઢવો તે ગંભીર બાબત છે. તે આપણું જીવન છે.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- ઈશ્વરનો અવાજ સાંભળવો અને પારખવો શા માટે જરૂરી છે?
- શું ઈશ્વરનો અવાજ સાંભળવો અને તેનો યોગ્ય પ્રતિભાવ આપવો તે શ્વાસોચ્છવાસ જેવું છે? શા માટે? શા માટે નહિ?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.