ઝુમ તાલીમની પાછળનું દર્શન

વૃદ્ધિ કરનારાં શિષ્યોથી જગતને ભરી દેવું
આપણી પેઢીમાં.

welcome-graphic

અમારી મુખ્ય વ્યૂહરચના

પવિત્રતા, પ્રાર્થના, તાલીમથી પૂરેપૂરું ભરી દેવું, મંડળીને ભરી દેવી

પવિત્રતા, આજ્ઞાપાલન અને પ્રેમ

આપણે વૃદ્ધિ કરનારા શિષ્યો બનવાની જરૂર છે.

Jesus Measurement

ઈસુ આપણો માપદંડ છે.

તમે નહિ, હું નહિ, ઇતિહાસ નહિ, આદર્શો કે વિધિઓ નહિ, ફક્ત અને ફક્ત ઈસુ જ.

ઈસુ કેવી રીતે જીવ્યો, તેણે શું કહ્યું, તેણે કેવી રીતે પ્રેમ કર્યો, એ સઘળું. તેમાં આપણે આપણી અગાઉ થઈ ગયેલાં વિશ્વાસના વિરોની જેમ ઈસુને ત્વરિત, તાર્કિક અને બલિદાની રીતે આજ્ઞાધીન થવાની મોટી અપેક્ષા રાખીએ છીએ.

ઈસુ આપણો માપદંડ છે અને તેના જેવા થવા માટે તેનો આત્મા આપણી આશા છે. જે દિવસે દેવનો આત્મા આપણા દ્વારા કાર્ય કરશે તે દિવસે આપણે આપણા જીવનોની આસપાસ પ્રભુના રાજ્યનાં ફળો તથા આપણા મિત્રોનો પ્રેમ જોઈશું.

અસાધારણ પ્રાર્થના

ઇતિહાસમાં શિષ્યો બનાવવા માટેની દરેક ચળવળમાં અસાધારણ પ્રાર્થના કરવામાં આવી હતી.

Extraordinary Prayer

તમારી પાસે નથી, કેમ કે તમે માગતા નથી (યાકૂબનો પત્ર 4:2). જો આપણે એ ચળવળ જોવા માગીએ છીએ તો આપણે તેને માટે પ્રભુને વિનંતી કરવાની છે.

તાલીમથી પૂરેપૂરા ભરી દેવા

(1 તાલીમ અને ÷ વસ્તી)

1 તાલીમ

Training Saturation

દર 5000 લોકો (ઉત્તર અમેરિકા)
દર 50,000 લોકો (વૈશ્વિક)

શિષ્યોની વૃદ્ધિ કરવાનો વિચાર વચનો પ્રમાણેનો વિચાર છે પરંતુ ઘણીવાર તેની અવગણના કરવામાં આવે છે. વૃદ્ધિના સિદ્ધાંતોની સરળ તાલીમ વિશ્વાસીઓના બિનફળદ્રુપ જીવનોને પણ પુનઃસ્થાપિત કરે છે.

જીવંત તાલીમ હંમેશા શ્રેષ્ઠ હોય છે. પરંતુ જે લોકોને તાલીમ પામેલાઓની જરૂર છે તેમને માટે જીવંત તાલીમ કરતાં વધારે ઉપલબ્ધ છે. જૂથો નમૂનારૂપ બની શકે અને વૃદ્ધિ કરવાની તાલીમ પ્રાપ્ત કરે તે માટે આ તાલીમ જીવનભરની, ઓનલાઈન અને માંગણી પ્રમાણેની તાલીમ ઉપલબ્ધ છે.

ખાસ કરીને જ્યાં મંડળીનું અસ્તિત્વ છે ત્યાં શિષ્યો બનાવવાની ચળવળ જોઈ શકીએ તે પહેલાં તાલીમની ચળવળ જરૂર છે.

સરળ મંડળીની વૃદ્ધિ

(2 સરળ મંડળીઓ ÷ વસ્તી)

2 સરળ મંડળીઓ

Church Saturation

દર 5000 લોકો (ઉત્તર અમેરિકા)
દર 50,000 લોકો (વૈશ્વિક)

એક સ્થળે ઘણી મંડળીઓ હોય તે એક આશીર્વાદ છે, પરંતુ ઘણાં સ્થળોએ ઘણી મંડળીઓ હોય તે એક મોટો આશીર્વાદ છે. જ્યાં મંડળીનું અસ્તિત્વ જ નથી એવા વિસ્તારોમાં મંડળીઓ કાર્ય કરે તે એક મોટામાં મોટો આશીર્વાદ છે.

એક કહેવત છે કે ''તમારા ભરોસા પ્રમાણે યોજના બનાવો, તમારી યોજના પર ભરોસો રાખશો નહિ.'' આપણે જાણીએ છીએ કે દરેક ભાષા, કુળ અને દેશનાં લોકો વિશ્વાસી કુટુંબો બને એવી દેવ બાપની ઇચ્છા છે. પ્રભુએ આપણને લોકોનું પ્રભુ સાથે સમાધાન કરાવવા માટે પોતાના સહકર્મી બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેથી 1 તાલીમ અને 2 મંડળીઓનો આપણા ઉદ્દેશ્યો જે પ્રભુ એ કાર્ય કરી શકે છે તેના પરના વિશ્વાસથી પ્રાપ્ત થાય છે.