ઝુમ પ્રશ્નો અને તેના ઉત્તરો
શું તે ખરેખર ૧૦૦% મફત છે?
હા, તેની કોઈ અધિમૂલ્ય ધરાવતી આવૃત્તિઓ નથી, પ્રયત્ન કરવાના સમયો નથી, વેચાણની વસ્તુઓ નથી. આપણે મફત પામ્યાં છીએ, મફત આપવાનું છે.તાલીમ પ્રાપ્ત કરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઇએ?
અમે ૧૩ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકોને તાલીમ આપવાની ભલામણ કરીએ છીએ. જા તમે એમ માનો છો કે તમારું બાળક તેના કરતાં નાનું હોવા છતાં પણ લાભદાયી નીવડી શકે છે તો તેને સહભાગી થવા દો.જો કોઇ વ્યક્તિ તાલીમ પ્રાપ્ત કરવા માગે છે પણ તેની પાસે ઇ-મેઇલ એડ્રેસ નથી તો શું કરશો?
તેઓ લોગ ઇન કરી શકે અને વેબસાઇટના બધા જ વિષયો પ્રાપ્ત કરી શકે તે માટે જૂથમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ પાસે તેનું ઇ-મેઇલ હોવું જરૂરી છે. જે સહભાગીઓ જૂથની સાથે હોય ત્યારે વિડિયો જુએ કે ઓડિયો સાંભળે છે તેમની પાસે જૂથમાં જોડાવા માટે ઇ-મેઇલ એડ્રેસ હોવું જરૂરી નથી.તાલીમ આપતાં પહેલાં હું કેવી રીતે પાઠોને જાઇ શકું?
“નિરીક્ષણ”નો વિભાગ જુઓ. તે ભાગ વિચારો, સાધનો અને તમારું જૂથ દરેક સેશનમાં શેનો મહાવરો કે અભ્યાસ કરશે તેની વિશેષતાઓ દર્શાવે છે.તાલીમની વિષયવસ્તુ શું છે?
વિષયવસ્તુના ભાગમાં તમે તેની વિશેષતાઓ જાઇ શકશો અથવા માર્ગદર્શિકા ડાઉનલોડ કરો અને અભ્યાસક્રમની વિષયવસ્તુની સમીક્ષા કરો, અથવા લોગ ઇન કરો અને જૂથની શરૂઆત કરો. પરંતુ સેશનના પ્રથમ પાના પર “નિરીક્ષણ સેશન”ની પસંદગી કરો. તે તમને સેશન પૂરું થયું છે એવી નિશાની કર્યા વગર અભ્યાસક્રમની વિષયવસ્તુ બતાવશે.તાલીમ આપતાં પહેલાં હું માર્ગદર્શિકાની પ્રિન્ટ કાઢવા માગું છું. હું કેવી રીતે તે કરી શકું?
તમે દરેક પાના પર ઉપરના ભાગમાં “ઝુમ વિશે”ના વિભાગમાં હંમેશા માર્ગદર્શિકા પ્રાપ્ત કરી શકો છો.મેં ભૂલથી આગળ જવાનું બટન દબાવી દીધું અને હું પાછો જવા માગું છું અને વિડિયો ફરીથી જાવા માગું છું. હું કેવી રીતે તે કરી શકું?
સેશનમાં આગળ જવા કે પાછળ જેવા માટે સેશનના પાના પર નીચેના ભાગમાં “પાછળ” અને “આગળ” બટનનો ઉપયોગ કરી શકો છો.આવા ઘણા DMM કે CPM શિક્ષકો છે, તો શા માટે ઝુમની જરૂર છે?
ઓનલાઇન તાલીમ કરતાં જીવંત તાલીમ આપવી હંમેશા સારી હોય છે. ઓનલાઇન તાલીમ ક્યારેય જીવંત તાલીમનું સ્થાન લઇ શકે નહિ. કમનસિબે, પ્રાપ્તિસ્થાનની મર્યાદા, જાગૃતિનો અભાવ, ઉપલબ્ધતા કે સમયનો અભાવ અને બીજા ઘણા કારણોને લીધે જીવંત તાલીમ પ્રાપ્ત કરી શકતા નથી. ઝુમ દ્વારા આવા લોકોને ઉચ્ચ ગુણવત્તાની મૂળભૂત તાલીમ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. તેમાં બીજા લોકો દ્વારા જે જીવંત તાલીમના પ્રકારો ઉપલબ્ધ છે એવાં જ સિદ્ધાંતોનો ઉપયોગ કરેલ છે. તેની સાથે-સાથે જા કોઇ વ્યક્તિ ઝુમ તાલીમ પ્રાપ્ત કરે પછી સરળતાથી તેમનું પોતાનું જૂથ શરૂ કરી શકે છે અને ઝુમનો ઉપયોગ કરીને બીજાઓને તાલીમ આપી શકે છે. વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવાના સિધ્ધાંતો માટે તે એક સારી તક છે.ઝુમમાં વિશ્વાસનું વિધાન શું છે?
ઝુમ કોઇ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું નથી તેથી તેના વિશ્વાસનું કોઇ સામાન્ય વિધાન નથી. આપણે બધા તેમાં સહભાગી છીએ, પરંતુ અમે લોઝાન કરાર સાથે સંમત થઇએ છીએ. Read the Covenantશું હું એકલા જ તાલીમ પ્રાપ્ત કરી શકું?
ના. કેટલીક જરૂરી તાલીમ અને અભ્યાસના સેશનો પૂરાં કરવા માટે બીજાં સહભાગીઓ જરૂરી છે. દરેક સેશનમાં ઓછામાં ઓછા ૩-૪ લોકો હોવા જરૂરી છે, નહિ તો તમે પૂરી તાલીમનો અનુભવ પ્રાપ્ત કરી શકશો નહિ.કોને માટે આ તાલીમ યોગ્ય છે?
ઈસુ ખ્રિસ્તના ૧૩ વર્ષ કે તેથી વધારે વયનાં વાંચી શકે એવાં શિષ્યોને માટે આ તાલીમ યોગ્ય છે. ભવિષ્યમાં અભણ લોકો માટે યોગ્ય હોય એવું વર્ઝન પણ શરૂ કરવામાં આવી શકે છે, પરંતુ આ તે વર્ઝન નથી. અમે માનીએ છીએ કે આ રૂપરેખામાં પ્રમાણેના દરેક વ્યક્તિ આ તાલીમમાં સહભાગી થઇ શકે છે.ઝુમના માલિક કોણ છે?
કોઇ “સંસ્થા” ઝુમ પ્રોજેક્ટ ચલાવતી નથી અને ઝુમ એ કોઇ સંસ્થા નથી. આ તો આખી પૃથ્વી પર અને સ્વર્ગમાં પ્રભુની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી પૃથ્વી પરની દરેક જાતિના લોકોને શિષ્ય બનાવવાની અને દરેક સ્થળે દેવના રાજ્યની વૃદ્ધિ કરવાની ઈસુ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરતા લોકોનું એકત્રીકરણ છે. જાનાથાન પ્રોજેક્ટ લીડરશીપની સભામાં આ પ્રોજેક્ટનો વિચાર પ્રગટ થયો હતો પરંતુ તે સમયથી એ જૂથ કરતાં વધારે વિસ્તાર પામ્યો છે. જાનાથાન પ્રોજેક્ટ તો વિશ્વભરમાં વૃદ્ધિ કરતાં શિષ્યો બનાવવા સમર્પિત હોય એવા લોકોનું એકત્રીકરણ છે.યોજનાબદ્ધ ત્રણ તબક્કા કયા છે?
પ્રથમ તબક્કો:
પ્રથમ તબક્કો યુનાઇટેડ સ્ટેટસ્ અને અંગ્રેજી પર લક્ષ આપે છે. શરૂઆતનો ધ્યેય તો દેશમાં દર ૫૦૦૦ લોકો મધ્યે ચારથી બાર લોકોના જૂથમાં તાલીમ આપવાનો છે. આ દરેક તાલીમ જૂથોને પ્રથમ પેઢીની અને વૃદ્ધિ કરનારી બે મંડળીઓ સ્થાપવાનો પડકાર આપવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટસ્ માટેનું લક્ષ્યાંક તો અંગ્રેજી ભાષાના ૬૫૦૦૦ કરતાં વધારે ઝુમ જૂથો અને ૧૩૦,૦૦૦ મંડળીઓ શરૂ કરવાનું છે.
બીજો તબક્કો:
બીજો તબક્કાનું લક્ષ્યાંક તો આ પ્રથમ તબક્કાની મંડળીઓને વૃદ્ધિ કરવાની પ્રક્રિયાનું શિક્ષણ આપવાનું અને વિશ્વની બીજી ભાષાઓમાં આ પ્રોજેક્ટને શરૂ કરવાનું છે. નીચેની ભાષાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે ઃ અમહારિક, અરેબિક, બંગાળી, ભોજપુરી, બર્મીસ, ચાઇનીઝ (મેન્ડેરીન), ચાઇનીઝ (કેન્ટોનીસ), ફારસી, ફ્રેંચ, જર્મન, ગુજરાતી, હૌસા, હિન્દી, ઇન્ડોનેશિયન, ઇટાલીયન, જાપાનીઝ, કન્નડ, કોરીયન, કુર્દિશ, લાઓ, મૈથિલી, મલયાલમ, મરાઠી, ઓરિયા, પંજાબી (પૂર્વિય), પંજાબી (પશ્ચિમી), પોર્ટુગીઝ, રશિયન, સોમાલી, સ્પેનિશ, સ્વાહિલી, તમિલ, તેલુગુ, થાઇ, ટર્કિશ, ઉર્દુ, વિયેટનામીસ, યોરુબા.
ત્રીજો તબક્કો:
ત્રીજો તબક્કાનું લક્ષ્યાંક તો પ્રથમ અને બીજા તબક્કાની મંડળીઓને દરેક સ્થળે, દરેક જાતિના લોકોને શિષ્યો બનાવવાના વૈશ્વિક દર્શન સાથે આગળ વધારવાનું છે. ઝુમ પ્રોજેક્ટનું અસ્તિત્વ તો આપણી પેઢીના લોકોને વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવાનું વૈશ્વિક દર્શન છે. અમારા આ કાર્યને વેગ આપવા માટે અમે એક એવું નક્શાનું સમાધાન શોધી કાઢયું છે, તેના દ્વારા જૂથો ઝુમ તાલીમ જૂથો અને યુ.એસ.એની બહારના દેશોમાં દર ૫૦,૦૦૦ લોકો મધ્યે બે સરળ મંડળીઓના લક્ષ્યાંક સાથે કાર્ય કરશે.
શા માટે તેને ઝુમ કહેવામાં આવે છે?
ગ્રીક ભાષામાં ઝુમ શબ્દનો અર્થ છે ખમીર. માથ્થી ૧૩ઃ૩૩માં ઈસુએ કહ્યું છે કે, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્રીએ લઇને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઇ ગયો.” આ વાત આપણને શીખવે છે કે કેવી રીતે સામાન્ય લોકો, સામાન્ય શ્રોતોનો ઉપયોગ કરીને દેવના રાજ્યને માટે અસામાન્ય અસર ઉપજાવી શકે છે. ઝુમનું લક્ષ્ય તો સામાન્ય વિશ્વાસીઓને સુસજ્જ તથા બળવાન કરીને આપણી પેઢીમાં વૃદ્ધિ કરનારા શિષ્યોથી વિશ્વને ભરવાનું છે.કઇ ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવશે?
નીચેની ભાષાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને જેઓ વધારાની ભાષાઓમાં આ તાલીમ તથા સાધનોનો ઉપયોગ કરવાની ઇચ્છા રાખે છે તેમના માટે ઉપલબ્ધ કરવામાં આવશેઃ અમહારિક, અરેબિક, બંગાળી, ભોજપુરી, બર્મીસ, ચાઇનીઝ (મેન્ડેરીન), ચાઇનીઝ (કેન્ટોનીસ), ફારસી, ફ્રેંચ, જર્મન, ગુજરાતી, હૌસા, હિન્દી, ઇન્ડોનેશિયન, ઇટાલીયન, જાપાનીઝ, કન્નડ, કોરીયન, કુર્દિશ, લાઓ, મૈથિલી, મલયાલમ, મરાઠી, ઓરિયા, પંજાબી (પૂર્વિય), પંજાબી (પશ્ચિમી), પોર્ટુગીઝ, રશિયન, સોમાલી, સ્પેનિશ, સ્વાહિલી, તમિલ, તેલુગુ, થાઇ, ટર્કિશ, ઉર્દુ, વિયેટનામીસ, યોરુબા.સૌથી વધારે અપડેટેડ પ્રગતિભાષામાં અનુવાદની પ્રક્રિયા.કેવી રીતે હારબંધ થયેલા તાલીમાર્થીઓ દ્વારા જૂથની શરૂઆત કરવામાં આવશે?
તેમાં વિવિધતા હશે. જો કોઇ તાલીમાર્થી કોઇ ખાસ મંડળી કે સંસ્થા કે માળખાનો સભ્ય છે તો નવાં શરૂ કરવામાં આવેલા જૂથો તે મંડળીઓ, સંસ્થા કે માળખાની સાથે જાડાયેલાં રહેશે. પરંતુ, જો તેમની ઇચ્છા હોય તો તેઓ શરૂ કરવામાં આવેલા જૂથો માટે નવા માળખાની રચના કરી શકે છે. ત્રીજા વિકલ્પ તો નવાં જૂથો અગાઉથી અસ્તિત્વમાં હોય એવા સરળ મંડળીઓના માળખા સાથે જોડાય તે છે.કોણ મારી ત્રણ મહિનાની યોજના જોઇ શકે?
જો તમે તમારા જૂથની સાથે તેને જોડશો નહિ તો ફક્ત તમે જ તમારી યોજના જોઇ શકશો, જો તમે તેને જોડશો તો તમારા જૂથના આગેવાન અને સાથી આગેવાનો તમારી ત્રણ મહિનાની યોજના જોઇ શકશે.શું હું મારી ત્રણ મહિનાની યોજનાની પ્રિન્ટ લઇ શકું?
હા, તમે તમારી યોજના સેવ કરી છે તેની ખાતરી કરો, પછી તમારી યોજનાના પાના પર છેક નીચે જાઓ અને “પ્રિન્ટ સેવ યોજના” બટન પર ક્લિક કરો.શું હું મારી ત્રણ મહિનાની યોજનામાં ફેરફાર કરી શકું?
હા, ગમે તે સમયે તમે તેમાં જઇને ફેરફાર કરી શકો છો. ત્યારબાદ તમારી યોજનાના પાના પર છેક નીચે જઇને “સેવ” બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહિ.શું ઝુમ મને મારા જૂથના લોકોની સાથે ચેટ કરવાની તક આપે છે?
આ વખતે નહિ. તમારા જૂથના દરેક સભ્યો લોગ ઇન કરે અને તમારા ઝુમ જૂથમાં જોડાય એવી અમે ભલામણ કરીએ છીએ. એમ કરવાથી દરેક સભ્યને જ્યારે જરૂર હોય ત્યારે સામગ્રી ઉપલબ્ધ થશે. ત્યારબાદ જૂથ તેની અનુકુળતા મુજબ જૂથમાં વાતચીત કરવા માટે ચેટ કરવાની ગમે તે એપનો (આઇ.મેસેજ, વ્હોટસએપ, ફેસબુક જૂથ વગેરેનો) ઉપયોગ કરી શકે છે.ઝુમ પ્રોજેક્ટના ધ્યેય:
ગ્રીક ભાષામાં ઝુમ શબ્દનો અર્થ છે ખમીર. માથ્થી ૧૩ઃ૩૩માં ઈસુએ કહ્યું છે કે, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્રીએ લઇને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઇ ગયો.” આ વાત આપણને શીખવે છે કે કેવી રીતે સામાન્ય લોકો, સામાન્ય શ્રોતોનો ઉપયોગ કરીને દેવના રાજ્યને માટે અસામાન્ય અસર ઉપજાવી શકે છે. ઝુમનું લક્ષ્ય તો સામાન્ય વિશ્વાસીઓને સુસજ્જ તથા બળવાન કરીને આપણી પેઢીમાં વૃદ્ધિ કરનારા શિષ્યોથી વિશ્વને ભરવાનું છે.
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.