માળખામાં આગેવાની સરળ મંડળીઓના વૃદ્ધિ પામતા જૂથોમાં સાથે મળીને કાર્ય કરવાની, નવા આગેવાનોની વૃદ્ધિ કરવાની અને ઈશ્વરે પોતાના લોકો માટે જે સારી બાબતો રાખી મૂકી છે તેને વધારે પૂર્ણ કરવા માટેની અનુમતિ આપે છે.

તો જ્યારે મંડળીઓની વૃદ્ધિ થાય છે અને એવી નવી મંડળીઓની શરૂઆત કરવામાં આવે છે, જે બીજી નવી મંડળીઓની શરૂઆત કરે છે, ત્યારે શું થાય છે? કેવી રીતે તેઓ એકબીજા સાથે જોડાયેલી રહે છે? કેવી રીતે તેઓ વિસ્તૃત આત્મિક કુટુંબ તરીકે સાથે મળીને જીવન જીવે છે?

આ વિડિયો જુઓ

જ્યારે આત્મિક કુટુંબો (જેમ કે સામાન્ય મંડળીઓ),પુન:ઉત્પાદન કરે છે, ત્યારે સંબંધો ધરાવતી મંડળીઓનો વિકાસ થાય છે. પછી આ માળખાઓ એક નગર કે પ્રાદેશિક મંડળીની જેમ કાર્ય કરે છે.

આ શહેર કે પ્રાદેશિક સ્તરે આપણે વડીલોને અને દિક્ષિતોને કાર્ય કરતા જોઇએ છીએ. આ સ્તરે જ આગેવાનીના દાનો, જેમ કે પ્રેરિત, પ્રબોધક,સુવાર્તિક પાળક અને શિક્ષક કાર્ય કરે છે. આગેવાનીના આ દાનો મૂળભૂત રીતે શિષ્યોને સેવામાં વધારે અસરકારક બનવા માટે તૈયાર કરે છે.આ આગેવાનો અને વડીલો તથા દિક્ષિતો આત્મિક કુટુંબોની મોટી સંખ્યાની સેવા કરી શકે છે. વચનોમાં આપણે આ પદ્ધતિને જોઇએ છીએ, જેમ કે યરૂશાલેમમાંના વડીલો કે એફેસીઓની મંડળીમાંના વડીલો.

આવું બંધારણ નાના સ્તર પર આવી જ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જે નાના સ્તર પર આત્મિક કુટુંબોમાં જોવા મળે છે. 3/3 જૂથોની પદ્ધતિ આગેવાનીની તાલીમ સભાઓમાં અને મિત્રોને માર્ગદર્શન આપવના સેશનોમાં જોવા મળે છે. રોપવું, મૂલ્યાંકન કરવું અને ઉચ્ચ સ્તરે પ્રશિક્ષણ આપવું, તેના માટે ચાર પ્રકારની જમીનને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય ગોઠવણ એ છે કે વ્યક્તિગત સ્તર પર હોવાને બદલે સામૂહિક સ્તર પર આ લાગુકરણો કરવા જોઇએ. ધ્યેયો અને પ્રવૃત્તિઓ સભામાં કરવામાં આવેલ રજૂઆત મુજબ નક્કી કરવામાં આવે છે.

સામાન્ય રીતે જ્યાં માળખાની શરૂઆત થાય છે ત્યાં આપણી આગેવાનીના સંબંધોમાં તે કેન્દ્રસ્થાને હોય છે. જ્યારે તે માળખાનો પ્રભાવ વધે છે ત્યારે તે વાલીથી નીચેના સ્તરમાં જરૂરી સ્તરોની વૃદ્ધિ કરે છે. ઉદાહરણ તરીકે, જો મંડળીનું માળખું ટેમ્પામાં (અમેરિકાનું એક શહેર) શરૂ થાય છે તો તે પ્રથમ તો ટેમ્પામાં આવેલ શહેરની મંડળીમાં કાર્યરત થશે. જ્યારે તેનો પ્રભાવ ફ્લોરિડા રાજ્યમાં ફેલાશે ત્યાર પછી કદાચ તે રાજ્યની મંડળી તરીકે કાર્યરત થશે અને દેશમાં તથા વિવિધ શહેરોમાં બીજી મંડળીઓની શરૂઆત કરશે. તેની વૃદ્ધિ થવાનું ચાલુ રહેશે તો તે રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કાર્યરત થશે. વિવિધ રાજ્યો અને વિશ્વના વિવિધ દેશોમાં મંડળીઓની શરૂઆત થશે. આ મંડળીઓ એકબીજા સાથે જોડાવાની ઇચ્છા રાખશે, કેમ કે તેમનું ડી.એન.એ. અને તેમનો શ્રોત એક જ છે.

જો કેટલીક મંડળીઓ તેમની અનુકુળતા, ભાષા કે બીજી કોઇ બાબતને લીધે અલગ થશે, તો પણ તે કોઇ સમસ્યા નથી. જો તેનું ડી.એન.એ. સફળતાપૂર્વક રીતે પસાર થયું છે તો શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરવાની નવી ચળવળની સ્થાપના કરવા માટે જેની જરૂર છે તે દરેક આત્મિક કુટુંબમાં અને આત્મિક કુટુંબના દરેક સભ્યમાં હશે.

સામાન્ય રીતે, દરેક મંડળી નાની છે, તેમાં બાળકોનો સાથે 4-12 વયસ્કો છે. તરુણ વયનાઓ જો ઇચ્છે તો તેમના મિત્રો મધ્યે મંડળીઓની સ્થાપના કરવાની શરૂઆત કરી શકે છે, તેમ છતાં તેઓ એક આંતરિક સંગઠન છે. આ નાનું કદ સંબંધોને વધારે ગાઢ બનાવે છે, જવાબદારીને વધારે અસરકારક બનાવે છે, અને સહભાગીને સંપૂર્ણ બનવા માટે ભાગીદાર બનાવે છે. ખ્રિસ્તની પાસે આવનારા લોકોની કે ઈસુખ્રિસ્તને અગાઉથી ઓળખનારા લોકોની પદ્ધતિ એક જ છે, પરંતુ નવા વિસ્તારમાં જવા માટે તેમણે જે મંડળી અસ્તિત્વમાં છે તેની સાથે જોડાવાની જરૂર નથી, પરંતુ નવા આત્મિક કુટુંબની શરૂઆત કરવા  માટે સુસજ્જ થવાની જરૂર છે, પછી તે માળખા સાથે જોડાય છે. આ રીતે, આત્મિક કુટુંબો શિષ્યો બનાવવામાં વધારે ફળદાયી અને અસરકારક થાય તે માટે આ આત્મિક કુટંબોને નાના રાખવા જરૂરી છે. હું ફરીથી કહું છું કે, નાનું કદ સંબંધોને વધારે ગઢ બનાવે છે, જવાબદારીને વધારે અસરકારક બનાવે છે, અને સહભાગીતાને વધારે સંપૂર્ણ કરે છે.

સરળ મંડળીઓ અને અનુસરણ કરતા વ્યક્તિઓની ઇચ્છા શીખવાની, આધીન થવાની અને ઈશ્વરનું વચન બીજાઓને જણાવવું તે આ ચળવળ માટેનું આત્મિક ડી.એન.એ. છે. જો પેઢી દર પેઢી, એક મંડળીથી બીજી મંડળી અને એક વિશ્વાસી વ્યક્તિથી બીજા વિશ્વાસી વ્યક્તિ તરફ તેને આગળ મોકલવામાં આવે, તો દરેક આત્મિક કુટુંબમાં અને ઈસુના દરેક અનુયાયીઓમાં ગુણાત્મક વૃદ્ધિ કરવાની નવી ચળવળની જરૂર છે તે અગાઉથી ત્યાં છે.

જ્યારે એક ચળવળ બીજી ચળવળની શરૂઆત કરે છે, ત્યારે આપણે શહેર, રાજ્ય કે દેશમાં કાર્ય કરતા “ખમીરને” જોઇએ છીએ. આ રીતે ઈશ્વર જે રીતે આકાશમાંથી પૃથ્વી પર તેમનું રાજ્ય લાવવા માગે છે તે રાજ્ય આવશે.

આ રીતે આપણે સર્વ દેશનાઓને શિષ્ય કરવાનો જે મહાન આદેશ આપ્યો છે, તેને પૂરો કરી શકીએ છીએ.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •     જ્યાં સામાન્ય મંડળીઓનું માળખું ગાઢ વ્યક્તિગત સંબંધોથી જોડાયેલું હોય તેના લાભો છે? એવા કેટલાક ઉદાહરણો કયા છે, જે મનમાં આવે છે?

તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!

  • તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
  • જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
  • પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
  • વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!

ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

આખી તાલીમ જુઓ


ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.

ઝુમના દર્શન વિશે શીખો

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress