આગેવાનીના એકમો
આગેવાનીના એકમો વિશ્વાસીઓને ટૂંક સમયમાં પુન:ઉત્પાદન કરવાના નમૂનાને શીખવા માટે સુસજ્જ કરે છે, જે જીવનભર ચાલે છે.
અગાઉથી ઈસુનું અનુસરણ કરનાર વિચરતી જાતી, વિદ્યાર્થીઓ, સૈનિકો, મોસમી કાર્યકરો આગેવાનીના એકમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે. તેમની સંસ્કૃતિ, તેમના વ્યવસાય કે કાર્યને લીધે અથવા તેમના જીવનની ઋતુને લીધે – તેમને ચાલુ રહેતા જૂથની સ્થાપના કરવાનું કઠળ લાગી શકે છે, પરંતુ તેઓ જે સ્થળોમાં મુસાફરી કરે છે તે દરેક સથળે જૂથોની શરૂઆત કેવી રીતે કરવી તેને માટે તેમને ચોક્કસપણે તાલીમ આપી શકાય છે.
શીખનારા વ્યક્તિઓને નવા જૂથોની શરૂઆત કરવા માટે, નવી મંડળીઓને તાલીમ આપવા માટે અને ઈશ્વરના કુટુંબની વૃદ્ધિ કરવા માટે વધારે આગેવાનીના એકમોની શરૂઆત કરવા માટે આ ખાસ જૂથો મદદરૂપ થાય છે.
આ વિડિયો જુઓ
જ્યારે એક જ સમયે લોકોનું જૂથ વિશ્વાસ કરે છે ત્યારે આગેવાનીના એકમો સારી રીતે કામ કરે છે. કુટુંબ, મિત્રોનું માળખું, અથવા એક નાના ગામને જીવનભર માટે ઉત્પાદકો બનવા માટે વ્યક્તિગત ફોલો-અપ કે આત્મિક પ્રશિક્ષણ આપ્યા વગર પણ ટૂંક સમયમાં તાલીમ આપી શકાય છે.
આગેવાનીના એકમની સભાનો નમૂનો (3/3 નમૂનો)
ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરો [તમારા સમયનો 1/3 ભાગ]
કાળજી : થોડો સમય લો અને દરેક વ્યક્તિ જે બાબત માટે આભારી છે તેના વિશે જણાવે. ત્યારબાદ દરેક વ્યક્તિ તેઓ જે સંઘર્ષ કરી રહ્યા છે તેના વિષે જણાવે. ત્યારબાદ તેમની જમણી બાજુએ બેઠેલી વ્યક્તિ તેમના માટે પ્રાર્થના કરાવે. જો કોઇ વ્યક્તિ એવી કોઇ બાબત વિશે સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે, તો તે વ્યક્તિની વધારે કાળજી લો.
દર્શન: સાથે મળીને ગીતો ગાઓ અને ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવા વિશેના, બીજા લોકોને ઈસુની વાત કહેવા વિશેના, નવા જૂથો શરૂ કરવા વિશેના અને બીજાઓને પણ એમ જ કરવામાં મદદરૂપ થવા વિશેના ગીતો ગાઓ. આ વિષયો જણાવતા બાઇબલના શાસ્ત્રભાગો પણ જણાવી શકો છો.
તપાસ કરો : દરેક વ્યક્તિએ આગલા અઠવાડિયે જે સમર્પણો લખ્યા હતા તે મુજબ કેવું કાર્ય કર્યું તેની તપાસ કરો:
- તમે જે શીખ્યા છો તેને તમે કેવી રીતે આધીન થયા છો?
- તમે જે શીખ્યા છો તે દ્વારા તમે કોને તાલીમ આપી છે?
- તમે તમારી કે ઈશ્વરની વાત કોને જણાવી છે?
જો તેઓ કોઇ સમર્પણ મુજબ કાર્ય કરવાનું ભૂલી ગયા છે અથવા તો તેમ કરવાની તક મળી નથી, તો તે આગલા અઠવાડિયાના સમર્પણોને આ અઠવાડિયાના સમર્પણો સાથે જોડી દેવા જોઇએ. જો કોઇ વ્યક્તિ તેમણે ઈશ્વરને સ્પષ્ટ રીતે જે કહેતા સાંભળ્યાં છે તેને આધીન થવાનો નકાર કરે છે તો તેને મંડળીની શિસ્તનો પ્રશ્ન ગણવો જોઇએ.
ઈશ્વર તરફ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]
પ્રાર્થના કરો: ઈશ્વર સાથે સામાન્ય રીતે અને ટૂંકમાં વાત કરો. ઈશ્વરને વિનંતી કરો કે તે તમને આ શાસ્ત્રભાગશીખવે.
વાંચો અને ચર્ચા કરો: આ અઠવાડિયાનો શાસ્ત્રભાગવાંચો. નીચેના પ્રશ્નોની ચર્ચા કરો:
- આ શાસ્ત્રભાગમાં તમને શું ગમ્યું?
- આ શાસ્ત્રભાગને સમજવામાં તમને કઇ વાત પડકારજનક કે કઠણ લાગી?
ફરીથી આ અઠવાડિયાનો શાસ્ત્રભાગ વાંચો.
- આ શાસ્ત્રભાગ માંથી આપણે લોકો વિશે શું શીખી શકીએ?
- આ શાસ્ત્રભાગ માંથી આપણે ઈશ્વર વિશે શું શીખી શકીએ?
આગળ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]
આધીન થાઓ. તાલીમ આપો. બીજાઓને જણાવો. (ક્યારેય અવગણના કરશો નહિ) : ઓછામાં ઓછી પાંચ મિનિટનો સમય શાંત પ્રાર્થનામાં ગાળો. જૂથના દરેક વ્યક્તિ પ્રાર્થના કરે કે પવિત્ર આત્મા તેમને આ પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે આપવા તે બતાવે, અને ત્યારબાદ તેઓ સમર્પણ કરે. દરેકે નીચે તેમના સમર્પણો લખવાના છે, જેથી તેઓ જ્ઞાન સાથે લોકો માટે પ્રાર્થના કરી શકે અને પોતાની જાતને તેના માટે જવાબદાર ઠેરવે. એવું બની શકે છે કે દર અઠવાડિયાના દરેક પ્રશ્નોની સાથે સુસંગત હોય એવું ન પણ સાંભળે. તેમણે એ નોંધ કરવી જોઇએ કે જો તેઓ એવો પ્રતિભાવ આપે છે કે તેમણે ઈશ્વરનું સાંભળ્યું છે કે નહિ તે વિશે તેમને ખાતરી નથી, પરંતુ તેમને એમ લાગે છે કે આ વિચાર સારો છે, તો તેમણે તેનો યોગ્ય પ્રતિભાવ આપવો જોઇએ, કેમ કે આવા કિસ્સામાં જવાબદારીનું મૂલ્યાંકન અલગ સ્તરે કરવામાં આવશે.
- હું આ શાસ્ત્રભાગને કેવી રીતે લાગુ કરીશ કે આધીન થઇશ?
- હું આ શાસ્ત્રભાગ વિશે કોને તાલીમ આપીશ અથવા જણાવીશ?
- આ અઠવાડિયે ઈશ્વર કોને મારી વાત [સાક્ષી] કે ઈશ્વરની વાત જણાવું એવી ઇચ્છા રાખે છે?
મહાવરો કરો : બે કે ત્રણ વ્યક્તિના જૂથમાં તમે 5,6, કે 7 પ્રશ્ન વિશે જ સમર્પણ કર્યું છે તેનો મહાવરો કરો. ઉદાહરણ તરીકે મુશ્કેલ વાતચીત કે પરિક્ષણનો સામનો કરતા હોય એવી ભૂમિકા ભજવો; આજના સંદેશાનું શિક્ષણ આપવાનો મહાવરો કરો, અથવા સુવાર્તા આપવાનો મહાવરો કરો.
ઈશ્વર સાથે વાત કરો: બે કે ત્રણના જૂથમાં દરેક સભ્ય માટે વ્યક્તિગત પ્રાર્થના કરો. આ અઠવાડિયે જે લોકો ઈસુ વિશે સાંભળશે તે દરેકના હ્રદયોને પ્રભુ તૈયાર કરે તે માટે પ્રાર્થના કરો. પ્રભુ તમને તમારા સમર્પણોને આધીન થવાનું જ્ઞાન તથા બળ આપે તે માટે પ્રાર્થના કરો. જૂથની સભાની આ સમિક્ષા છે.
સેશન દરમ્યાન જૂથની આગેવાનીને ફેરવતા રહો, જેથી જૂથના દરેકને આગેવાની આપવા, પ્રાર્થના કરવા કે પ્રશ્નો પૂછવાની તક મળે.જૂથમાંના દરેકને જે સારું થઇ રહ્યું છે તેને માટે, જે સારું થઇ શકે છે તેને માટે થોડો મહાવરો કરવાનું અને વધારે વૃદ્ધિ પામવા માટે જૂથના દરેક સભ્યને માટે આગળનું સારું પગલું કયું હોઇ શકે છે, તેને માટે તેમને ઉત્તેજન અને પ્રશિક્ષણ આપો.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- શું ઈસુના અનુયાયીઓના એવા કોઇ જૂથને તમે જાણો છો, જે અગાઉથી એકઠા મળી રહ્યા છે અથવા તો એકઠા મળવાની ઇચ્છા રાખે છે અને ઝૂમ તાલીમ શીખવા માટે આગેવાનીના એકમની શરૂઆત કરવાની ઇચ્છા રાખે છે?
- તેમને એકઠા કરવા માટે શું કરવું પડશે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.