બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી
શું તમે જાણો છો કે બતકના બચ્ચાંના નમૂનાને શિષ્યો બનાવવા સાથે શો સંબંધ છે? શું તમે ક્યારેય બતકના બચ્ચાંને ચાલતાં જોયાં છે? બતકના બચ્ચાં શિષ્યો બનાવવા વિશેના એક મહત્વના સિદ્ધાંતનું ઉદાહરણ આપે છે. જો તમે ઈશ્વરના કુટુંબને વિશ્વાસુપણામાં અને સંખ્યામાં વૃદ્ધિ પામતું જોવા માગો છો, તો બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યો બનાવવાનો વિચાર કરો – અનુયાયી બનો અને એ જ સમયે આગેવાન પણ બનો.
આ વિડિયો જુઓ
તમે આ જગતમાં જ્યાં છો ત્યાં, તે હંમેશા એક જેવું લાગે છે. માતા બતક આગેવાની આપે છે અને તેના બચ્ચાં તેને અનુસરે છે – એક પછી એક – બધા હારબંધ ચાલે છે. માતા બતક આગેવાની આપે છે. નાના બચ્ચાં તેને અનુસરે છે. પરંતુ જો તમે ધ્યાનથી જુઓ, તો તમે ત્યાં બીજું પણ કંઇક થતાં જુઓ છો.
દરેક નાના બચ્ચાં વાસ્તવમાં તો એક જ સમયે બે ભૂમિકા ભજવે છે:
- દરેક બચ્ચું અનુયાયી છે, કેમ કે તે તેની માતાને અથવા તો તેની આગળ ચાલી રહેલા બચ્ચાંની પાછળ ચાલે છે.
- અને, એ જ સમયે દરેક બચ્ચું આગેવાન પણ છે, કેમ કે તે તેની પાછળ ચાલી રહેલા બચ્ચાંને આગેવાની આપે છે.
તો શું બતકનું બચ્ચું અનુયાયી છે કે આગેવાન? તે બંને છે.
અને તેથી જ બતક “જે રીતે ચાલે છે” તેને શિષ્યો બનાવવા સાથે સંબંધ છે. ઈશ્વર ઇચ્છે છે કે તેમનું કુટુંબ વૃદ્ધિ પામે અને તેથી ઈશ્વર એવી ઇચ્છા રાખે છે કે દરેક અનુયાયી આગેવાન બને, દરેક વિશ્વાસી સુવાર્તા આપે, અને એ જ સમયે દરેક શિષ્ય બીજાઓને શિષ્ય પણ બનાવે.
શિષ્યો તરીકે અને શિષ્યો બનાવનાર તરીકે આપણે જે ફાંદાઓમાંપડીએ છીએ તેમાંનો એક ફાંદો તો એ ખોટી માન્યતા છે કે આપણે સુવાર્તા આપવાની શરૂઆત કરીએ તે પહેલાં બધું જ જાણવાની જરૂર છે, અથવા તો ઘણું વધારે જાણવાની જરૂર છે.
શિષ્યો તો બતકનાં બચ્ચાં જેવાં છે. આગેવાન બનવા માટે તેમણે બધું જ જાણવાની જરૂર નથી. તેમણે ફક્ત એક પગલું આગળ રહેવાનું છે. ઈશ્વર એવી ઇચ્છા રાખે છે કે તેમનું કુટુંબ વિશ્વાસુપણામાં વૃદ્ધિ પામે – અને તેથી તે એવી અપેક્ષા રાખે છે કે દરેક વિશ્વાસી અનુયાયી બને, અને સુવાર્તા આપનાર દરેક વ્યક્તિ વિશ્વાસી બને, અને દરેક શિષ્ય બનાવનાર વ્યક્તિ શિષ્ય બને, અને આ બધું એક જ સમયે થવું પણ જોઇએ.
શિષ્યો તરીકે અને શિષ્યો બનાવનાર તરીકે આપણે જે બીજા ફાંદામાંપડીએ છીએ એ તો એ ખોટી માન્યતા છે કે ક્યાંક કોઇ વ્યક્તિ બધું જ જાણે છે અને જો આપણે તેમને શોધીને તેમનું અનુસરણ કરીશું તો આપણે યોગ્ય માર્ગ પર હોઇશું. પરંતુ શિષ્યપણું એ રીતે કામ કરતું નથી. ઈશ્વરના રાજ્યમાં એક જ “માતા બતક” છે, જેને આપણે અનુસરવાનું છે – અને એ તો ઈસુ ખ્રિસ્ત છે.
કોઇ મિશનરી, કોઇ પાળક, કે કોઇ સેમિનરીનાપ્રૉફેસર નહિ. ફક્ત ઈસુ જ આપણા સંપૂર્ણ વિશ્વાસને પાત્ર છે. આપણામાંના બીજા બધા “પ્રક્રિયામાં” છીએ.
ઈસુની નજીક હોય એવી વ્યક્તિ હંમેશા હશે, જેને આપણે અનુસરી શકીએ. અને હંમેશા એવી વ્યક્તિ પણ હશે જે ઈસુથી દૂર હશે અને આપણે તેમને દોરવણી આપવાની છે. આ પ્રક્રિયામાં આપણી પદવી ગમે તે કેમ ન હોય, પરંતુ આપણી આંખો – આપણા હ્રદયો– હંમેશા ઈસુ પર જ લાગેલા હોવા જોઇએ.
બાઇબલમાં નવા કરારનો મોટો ભાગ લખનાર પાઉલે ઘણી જગ્યાઓએ મંડળીઓની પ્રથમ શરૂઆત કરી હતી, તેણે ફક્ત એમ જ નથી લખ્યું કે – “મને અનુસરો”,પરંતુ તેણે એમ લખ્યું છે કે, “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું તેમ તમે મારું અનુસરણ કરો.” પાઉલ જાણતો હતો કે કેટલા બતકનાબચ્ચાં જેવાં વિશ્વાસીઓ કેટલું જાણે છે અને તે શિષ્યોએ શું જાણવાની પણ જરૂર છે – ઈશ્વરના રાજ્યમાં દરેક આગેવાને અનુયાયી હોવાનું જ છે – અને આપણે બધાએ ઈસુનું અનુસરણ કરવાનું છે.
બાઇબલમાં પાઉલે પણ લખ્યું કે: “જે તેં મારી પાસેથી સાંભળ્યું છે... તેને બીજાઓને શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.”
પાઉલ જાણતો હતો કે કેટલા બતકના બચ્ચાં જેવાં વિશ્વાસીઓ કેટલું જાણે છે અને તે શિષ્યોએ શું જાણવાની પણ જરૂર છે – ઈશ્વરના રાજ્યમાં દરેક આગેવાને અનુયાયી હોવાનું જ છે – અને આપણે બધાએ ઈસુની જેમ આગેવાની આપવાની છે,બીજાઓને માટે આપણો જીવ આપવાનો છે.
જો તમે ઈશ્વરના કુટુંબને સંખ્યાત્મક રીતે અને વિશ્વાસુ પણામાં વૃદ્ધિ પામતાં જુઓ છો તો બતકના બચ્ચાંના નમૂનાની જેમ શિષ્યો બનાવવાનો વિચાર કરો – એક જ સમયે અનુયાયી અને આગેવાન બનો.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- શિષ્યપણાનું એવું કયું ક્ષેત્ર છે (વાંચન/બાઇબલને સમજવું, પ્રાર્થના કરવી, ઈશ્વરની વાત કહેવી, વગેરે) જેમાં તમે વધારે શીખવા માગો છો? કોણ તમને તે શીખવામાં મદદરૂપ થઇ શકે છે?
- શિષ્યપણાનું એવું કયું ક્ષેત્ર છે જેના વિશે તમને એવું લાગે છે કે તમે બીજાઓને જણાવી શકો? કોને તમે તેના વિશે જણાવી શકો?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.