ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી
જો આપણે ગુણાત્મક વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવાના છે તો આપણે તેમને ફક્ત ઉપભોક્તા જ નહિ પણ નિર્માતા બનવા માટે સુસજ્જ કરવાની જરૂર છે.
આપણા ભંગીત જગતમાં લોકોએ ઈશ્વરની યોજનાનો નકાર કર્યો છે અને ઘણાં લોકો તેમના બળને ઈશ્વરના સંપૂર્ણ સમીકરણના એક ભાગરૂપે ખર્ચી નાખે છે. તેઓ શીખે છે ખરા, પણ બીજાઓને તે જણાવતા નથી. તેઓ પોતે ભરપૂર થયા છે ખરા પણ ક્યારેય રેડતા નથી. તેઓ તેનો ઉપયોગ કરે છે ખરા પણ પોતે નિર્માણ કરતા નથી.
આ વિડિયો જુઓ
ઈશ્વર આપણને આત્મિક વૃદ્ધિ આપે છે તેની ચાર મુખ્ય રીતો છે. આ સામગ્રીમાં જણાવેલ સાધનોને આ ચાર રીતે રજૂ કરવામાં આવશે:
- વચન
દરેક શિષ્યએ વચનોને શીખવા, તેનું અર્થઘટન કરવા અને તેને લાગુ કરવાનું શિક્ષણ પ્રાપ્ત થવા માટે સુસજ્જ થવાની જરૂર છે. સેંકડો વર્ષોથી અને ઘણા વિવિધ લેખકો દ્વારા ઈશ્વર વિશ્વાસુ માણસોની સાથે ઘણીવાર બોલ્યા છે, અને તેમણે તે સાંભળીને બીજાઓને જણાવ્યું છે. વચનો આપણને ઈશ્વરની વાત, ઈશ્વરની યોજનાઓ, ઈશ્વરનું હ્રદય અને તેમના માર્ગો વિશે શીખવે છે. જો કોઇ શિષ્ય વાચક નથી તો તેણે/તેણીએ મૌખિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે સુસજ્જ થવાની જરૂર છે, કદાચ ઑડિયો બાઇબલ સાંભળીને તેની શરૂઆત કરવાની છે.
આ ક્ષેત્રમાં જણાવેલ ત્રણ સાધનો શિષ્યોને બાઇબલનું અર્થઘટન કરવા અને તેને લાગુ કરવામાં સક્ષમ બનાવવા માટે એકબીજાને મદદરૂપ થવા માટે એકબીજાની પ્રશંસા કરે છે. જો તમારી પાસે અગાઉથી તે સાધનો નથી તો તેમને તપાસો!
3/3જૂથો, SOAPS બાઇબલ વાંચન, જવાબદાર જૂથો
- પ્રાર્થના
ઈશ્વર સાથેના આપણા સંબંધમાં પ્રાર્થના એક ગંભીર બાબત છે. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ અને તેમની સાથે વાત કરીએ છીએ. પ્રાર્થના ઈશ્વરને વધારે ગાઢ રીતે જાણવા અને તેમના હ્રદયને, ઇચ્છાને અને તેમના માર્ગોને સમજવા માટે આપણને મદદરૂપ થાય છે. પ્રાર્થના આપણને બીજાઓની સેવા કરવા, તેમને શીખવવા અને તેમની આગળ સાક્ષીરૂપ થવા માટે મદદરૂપ થાય છે.
નીચે જણાવેલ બે સાધનો શિષ્યોને તેમના વ્યક્તિગત પ્રાર્થના જીવનમાં અને બીજાઓની સેવા કરવામાં વૃદ્ધિ પામવામાં મદદરૂપ થઇ શકે છે. આ સાધનો આપણને પ્રાર્થનાના વલણ સાથે જીવન જીવવાની ટેવનો વિકાસ કરવામાં અને ફક્ત દ્રશ્ય ભૌતિક પરિસ્થિતિ દ્વારા જ નહિ પણ આત્મિક દ્રષ્ટિકોણથી પણ જગતને જોવામાં મદદરૂપ થઇ શકે છે. તે પ્રાર્થના કરવાની આપણી ક્ષમતામાં પણ વધારો કરી શકે છે.
પ્રેયરવૉક (ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી), પ્રાર્થનામાં એક કલાક ગાળવો
- શરીર જીવન
ઈશ્વરે તેમના શરીરની રચના કરી છે, તેથી આપણને એકબીજાની જરૂર છે. આપણી દરેકની પાસે ખાસ બળ અને ખાસ નિર્બળતાઓ છે. આપણે એકબીજાને આધીન રહીને એકબીજાની સેવા કરવાની છે. શિષ્યનું જીવન ફક્ત ઈશ્વર સાથેના સંબંધ પર જ નહિ પણ બીજા વ્યક્તિઓ સાથેના તેના સંબંધો સાથે પણ સંકળાયેલું છે.
શિષ્યપણાની પ્રકૃતિ ફક્ત વ્યક્તિગત જ નહિ પરંતુ ઘણા લોકોની બનેલી બાબત છે. નીચે જે સાધનો જણાવ્યા છે તે આપણને એકબીજાને પ્રેમ કરવા માટે અને આધીનતાની અને ઈશ્વર આપણને જે કહે છે તે વાતો બીજાઓને જણાવવાની બેવડી જવાબદારી સાથેના વાતાવરણમાં સારા કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે.
3/3જૂથો, જવાબદાર જૂથો, મિત્રોને માર્ગદર્શન આપવું
4.સતાવણી અને દુ: ખ સહન કરવું
ઈશ્વર સતાવણીનો અને દુ:ખોનો આપણા સારા માટે ઘણી રીતે ઉપયોગ કરે છે. ઈશ્વર આપણા ચરિત્રને શુદ્ધ કરવા અને આપણામાં દિવ્ય ગુણોનો વિકાસ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઈશ્વર તેનો ઉપયોગ કરીને આપણા વિશ્વાસને બળ આપે છે અને શુદ્ધ કરે છે. ઈશ્વર તેનો ઉપયોગ કરીને આપણને જેઓ દુ:ખ સહન કરી રહ્યાં છે એવાં લોકોની સેવા કરવા માટે સુસજ્જ કરે છે. ઈશ્વર તેનો ઉપયોગ બલિદાન કરવાની આપણી ઇચ્છા અને ઈશ્વર માટે જોખમ ઉઠાવવાની ઇચ્છા દ્વારા પોતાના મહિમાને માટે પણ કરે છે. ઈશ્વર એવું વચન આપે છે કે જો આપણે આ જગતમાં તેમના માટે જીવવાની ઇચ્છા રાખીએ છીએ તો આપણી સતાવણી થશે જ.
જો શિષ્યોને ઈશ્વરના રાજ્ય માટે સતાવણી થશે અને દુ:ખો આવશે એવી અપેક્ષા રાખવાનું શીખવવામાં આવશે તો જ્યારે તેઓ સતાવણીનો સામનો કરશે ત્યારે તેઓ મુંઝવણ, કડવાશ, ગુસ્સો, રોષ, નિરાશા કે હતાશામાં આવી પડવાની શક્યતા ઘણી ઓછી હશે. આપણે શિષ્યોને તેમના નવા જીવનની શરૂઆતથી જ દુ:ખો આવશે એવી અપેક્ષા રાખતાં અને તેનો યોગ્ય પ્રતિભાવ આપતાં અને ઈશ્વર વિશ્વાસુ સરજનહાર છે અને જે સાચું છે તે જ કરે છે એવો વિશ્વાસ રાખવા માટે તૈયાર કરવાની જરૂર છે. ઈશ્વરના રાજ્ય માટે આવતાં દુ:ખો આપણને ખ્રિસ્તની સાથે અનંતકાળ સુધી રાજ્ય કરવા માટે તૈયાર અને શુદ્ધ કરે છે.
3/3જૂથો, જવાબદાર જૂથો
તમારી જાતને પ્રશ્ન પૂછો
- ઉપર જેની વિગતો આપવામાં આવી છે તે ચાર બાબતોમાંથી (પ્રાર્થના, ઈશ્વરનું વચન, વગેરે) કઇ બાબતનો તમે અગાઉથી મહાવરો કરો છો?
- કઇ બાબત વિશે તમને અસલામતીનો અનુભવ થાય છે?
- જ્યારે બીજાઓને તાલીમ આપવાનો સમય આવે છે ત્યારે તમે કેટલા તૈયાર છો એવું તમને લાગે છે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.