જ્ઞાન અને તાલીમ કરતાં વિશ્વાસુપણું આત્મિક પરિપક્વતાનું વધારે સારું માપ છે. આપણે શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરીએ છીએ ત્યારે આપણે યોગ્ય કાર્યો કરીએ છીએ તેની ખાતરી કરીએ. જો આપણે આજ્ઞાપાલન કરીશું અને બીજાઓ સાથે જે સાંભળ્યું છે તેને બીજાઓને જણાવીશું ત્યારે આપણે વિશ્વાસુ છીએ. જો આપણે સાંભળીએ છીએ પરંતુ આજ્ઞાપાલન કરવાનો કે બીજાઓને જણાવવાનો નકાર કરીએ છીએ તો આપણે અવિશ્વાસુ છીએ.

આ વિડિયો જુઓ

એવા બે વિચારો છે જે હાલના સમયની મંડળીમાં ઘણી સમસ્યાઓ ઉપજાવે છે.

પ્રથમ તો એ વિચાર છે કે કોઇ વ્યક્તિની આત્મિક પરિપક્વતા તેઓ ઈશ્વરનું વચન કેટલું જાણે છે તેની સાથે જોડાયેલી છે. તેઓ એવી રીતે કાર્ય કરે છે કે, જાણે સાચી માન્યતા – કે રૂઢિવાદ– કોઇ વ્યક્તિના વિશ્વાસનું સારું માપ છે. 

બીજો વિચાર એ છે કે આગેવાની આપવાની સેવાની શરૂઆત કરતાં પહેલાં “સંપૂર્ણ તાલીમની” જરૂર છે. તેઓ એવી રીતે કાર્ય કરે છે, જાણે સંપૂર્ણ જ્ઞાન હોવું તે સેવા કરવા માટે કોઇ વ્યક્તિની યોગ્યતાનું સાચું માપ છે.

પ્રથમ વિચાર સાથેની સમસ્યા તો એ છે કે –રૂઢિવાદ પર – કે “સાચી માન્યતા” પર આધાર રાખવો, કેમ કે શેતાન પોતે કોઇપણ મનુષ્ય કરતાં વધારે વચનો જાણે છે. ઈશ્વરનું વચન કહે છે કે – તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વર એક જ છે. તે સારું છે! પરંતુ અશુદ્ધ આત્માઓ પણ તે માને છે અને કાંપે છે.

કોઇની આત્મિક પરિપક્વતાનું સારું માપ તો “સાચો મહાવરો” છે.

આપણે જે જાણીએ છીએ તેના આધાર પર જ પરિપક્વતાનું માપ નક્કી કરવા કરતાં વિશ્વાસુપણાથી આજ્ઞાપાલન કરવાની અને બીજાઓને તે વાત જણાવવાની વધારે કાળજી રાખવી જોઇએ.

બીજા વિચાર સાથેની સમસ્યા એ છે કે – આગેવાની આપવા માટે કોઇએ સંપૂર્ણપણે તાલીમ લીધેલી હોવી જ જોઇએ, કેમ કે કોઇ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ તાલીમ લીધેલું હોતું નથી.

ઈસુએ એવા જુવાન આગેવાનોને મોકલવાનો નમૂનો આપ્યો, જેમણે ઈશ્વરના રાજ્ય વિશે સૌથી મહત્વનું કાર્ય કરવા માટે ઘણી બાબતો શીખવાની જરૂર હતી.

ઈશ્વરનું વચન કહે છે કે –ઈસુએ તેમના બાર પ્રેરિતોને પાસે બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ પર અને રોગો પર સંપૂર્ણ અધિકાર આપ્યો. પછી તેમણે તેમને ઈશ્વરના રાજ્યની વાત લોકોને કહેવા અને બીમારોને સાજાં કરવા માટે મોકલ્યા.

પિતરે ઈસુ જ તારનાર છે એવી માન્યતા જણાવી, જેને કદાચ આપણે વિશ્વાસનું પ્રથમ પગલું કહીએ, તે પહેલાં આ માણસોને મોકલવામાં આવ્યા હતા. અને ઈસુએ તેમને મોકલ્યા પછી પણ ઈસુએ પિતરને તેની ભૂલો માટે ઘણીવાર ઠપકો આપ્યો હતો, અને પછી પણ પિતરે ઈસુનો સંપૂર્ણપણે નકાર કર્યો હતો. બીજા શિષ્યોએ એવો વિવાદ કર્યો કે તેમનામાં સૌથી મોટું કોણ છે અને ભવિષ્યમાં ઈશ્વરના રાજ્યમાં તેમણે કઇ ભૂમિકા ભજવવાની છે. તે બધાએ ઘણું બધું શીખવાનું હતું, પણ ઈસુએ તેઓ જે જાણતા હતા તે મુજબ તેમને કામ સોંપ્યું હતું.

જ્ઞાન કરતાં –વિશ્વાસુપણું વધારે છે – જ્યારે કોઇ વ્યક્તિ ઈસુનું અનુસરણ કરવાની શરૂઆત કરે છે ત્યારે તેની શરૂઆત થઇ શકે છે. પરિપક્વતા પ્રાપ્ત કરવામાં સમય જાય છે, પરંતુ વિશ્વાસુપણું શિષ્યના જીવનના ગમે તે અને દરેક સમયે પ્રદર્શિત થઇ શકે છે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •   તમે અગાઉથી ઈશ્વરની જે આજ્ઞાઓને જાણો છો તેના વિશે વિચાર કરો. આજ્ઞાપાલનમાં અને તે બાબતો બીજાઓને જણાવવામાં તમે કેટલા “વિશ્વાસુ” 

તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!

  • તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
  • જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
  • પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
  • વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!

ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

આખી તાલીમ જુઓ


ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.

ઝુમના દર્શન વિશે શીખો

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress