બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
જ્યારે લોકો શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરવાનો વિચાર કરે છે, ત્યારે તેમણે ઘણીવાર તેને એક પછી એક પગલાંની પ્રક્રિયા વિશે વિચાર કરવો જોઇએ. જેમ કે: (1) પ્રથમ પ્રાર્થના. (2) પછી તૈયારી. (3) પછી ઈશ્વરની સુવાર્તા વહેંચવી. (4) પછી શિષ્યોને બાંધવા. (5) પછી મંડળીઓ બાંધવી. (5) પછી આગેવાનોનો વિકાસ કરવો. (6) પછી ફરીથી તૈયારી કરવી.
જ્યારે આપણે આવો વિચાર કરીએ છીએ ત્યારે રાજ્યની રેખીય શક્ય અને બિનક્રમિક પ્રક્રિયા લાગશે.
એક સમસ્યા એ છે કે તે હંમેશા આ રીતે કામ કરતું નથી. મોટી સમસ્યા એ છે કે આવી રીતે કામ કરવાથી ઘણીવાર શ્રેષ્ઠ કામ થાય છે!
જો આપણે ઈશ્વરના રાજ્યને ઝડપથી વૃદ્ધિ પામતું જોવા માગીએ છીએ તો આપણે બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખવી જોઇએ અને ઉત્તેજન આપવું જોઇએ.
આ વિડિયો જુઓ
શિષ્યો બનાવવાની આ પ્રક્રિયા બિનક્રમિક છે. ઘણા લોકો તેને રેખીય કે બિનક્રમિક પ્રક્રિયા તરીકે વિચારવાનું વલણ ધરાવે છે: પ્રાર્થના, સુવાર્તા પહેલાનું કાર્ય, સુવાર્તા પ્રચાર,શિષ્યપણું,મંડળીનું બંધારણ,આગેવાનીનો વિકાસ અને પુન:ઉત્પાદન. એ જરૂરી નથી કે તે હંમેશા આ રીતે જ કામ કરે.
સમયરેખાની તેના પાંચ મુદ્દાઓ મુજબ કલ્પના કરો: જન્મ (B), જ્યારે પ્રથમવાર કોઇ વ્યક્તિ સુવાર્તા સાંભળે છે અને સમજે છે (1), જ્યારે કોઇ વ્યક્તિ ઈસુખ્રિસ્તનું અનુસરણ કરવાની પસંદગી કરે છે (+), જ્યારે તેઓ ગુણાત્મક વૃદ્ધિ કરવાની શરૂઆત કરે છે [એટલે કે તેઓ જે શીખ્યા છે તેને લાગુ કરે છે અને બીજાઓને પણ એમ કરવાનું શીખવે છે] (M), અને મરણ (D)
આ આકૃતિમાં આત્મિક પેઢીની લંબાઇ મુદ્દા 1 થી M સુધી હોવી જરૂરી છે. જો આપણે નવા વિશ્વાસીઓનું આપણે અગાઉ જોયેલા સૌથી મોટા આશીર્વાદના વલણ સાથે ફોલો-અપ કરવાનો મહાવરો કરીએ છીએ, તો તે નીચેની આકૃતિ મુજબ થાય એવી રીતે બદલી શકીએ છીએ:
આ આકૃતિમાં આત્મિક પેઢીની લંબાઇનો સમય હજુ પણ મુદ્દા 1 થી મુદ્દા M સુધી જ છે. તમે જોશો કે સમય નોંધપાત્ર રીતે ઓછો કરવામાં આવ્યો છે. તેની અસર ગુણાત્મક થાય છે, તેથી તે ઘણી પેઢીઓમાં અદ્દભુત તફાવત લાવી શકે છે.
એ શક્ય છે કે લોકો ખ્રિસ્તને પોતાની જાતનું સમર્પણ કરે તે પહેલાં જ તેઓ ગુણાત્મક વૃદ્ધિ કરવાનો મહાવરો કરી રહ્યાં હોય. ઉદાહરણ તરીકે તમે એવા કોઇ વ્યક્તિને મળો, જેને આત્મિક બાબતોમાં રસ છે, પરંતુ તે તેનું જીવન ખ્રિસ્તને સોંપવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ તેમના મિત્રો અને કુટુંબીજનોને બાઇબલનો અભ્યાસ કરવા એકઠા કરવા માટે મદદરૂપ થાય છે. તમે તેમને બતાવી શકો છો કે કેવી રીતે તે કાર્ય કરવું જોઇએ અને બીજાઓને પણ એમ કરવાની તાલીમ આપવી જોઇએ. એવું પણ બની શકે છે કે તેઓ જૂથોનીપુન:શરૂઆત કરતા હોય, અને આગેવાનો ઈસુનું અનુસરણ કરનાર પ્રથમ વ્યક્તિની આગળ સુસજ્જ થતાં હોય. તેનો અર્થ એ થાય છે કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તનું અનુકરણ કરવાની પસંદગી કરે તેને જ શિષ્યપણું કહેવાય એવો વિચાર કરવાને બદલે આપણે લોકોને તારણને માટે શિષ્યપણામાં આગળ વધારી શકીએ છીએ. તેને આ સમયરેખા મુજબ રજૂ કરી શકાય છે:
આ આકૃતિમાં, વધારાના સમયમાં (કેટલીક પેઢીઓ પછી) આત્મિક પેઢી મુદ્દા 1 થી મુદ્દા M સુધીના સમય સુધી આગળ વધવાની શરૂઆત કરી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં, જ્યારે લોકો તરત જ સુવાર્તા સાંભળવામાં અસમર્થ હોય કે તૈયાર ન હોય, અને જો તેઓ સમુદાયના વિકાસ જેવાં બીજા પ્રશ્નોને લાગુ કરે તો ત્યારે એ શક્ય છે કે તે ગુણાત્મક વૃદ્ધિને લગતા શિક્ષણના નમૂના જેવી અસર પેદા કરી શકે છે. પછી જ્યારે તક મળે છે ત્યારે માળખું સુવાર્તા માટે ખુલ્લું થાય છે. તે કદાચ નીચે જણાવેલ આકૃતિ જેવું લાગશે.
પછી,શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરવાની સૌથી મોટી સમસ્યા એ હશે કે કઇ ભોંય સારી છે તેને ઝડપથી શોધવી. એવી કઇ વ્યક્તિ હશે, જે પોતે જે શીખ્યા છે તેને વિશ્વાસુપણે લાગુ કરશે અને બીજાઓને પણ શીખવશે? આવા લોકો સમય, બળ અને પ્રયત્નોનો વિકાસ કરવા પર ધ્યાન આપે છે. તે લોકોની સાથે તમારે માર્ગદર્શક તરીકેના સંબંધોની સ્થાપના કરવાની જરૂર છે. જ્યારે તમે તમારા સંબંધોના માળખાની બહારના લોકોની સાથે કામ કરો છો, ત્યારે એવા વ્યક્તિને તમે તપાસો એ જરૂરી છે. એવા લોકો ઈશ્વરના રાજ્યને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વિસ્તારવા માટે, કે તેની સંખ્યાત્મક તથા સંબંધોના માળખામાં વૃદ્ધિ માટે ટીકાખોર બને છે.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- શું તમે ક્યારેય કોઇ નવા વિશ્વાસીની ઝડપથી ગુણાત્મક વૃદ્ધિ થતાં જોઇ છે?
- આપણે એવાં કયા કાર્યો કરીએ છીએ, જે આ બાબતને ઇરાદાપૂર્વક રીતે કે બિનઇરાદા પૂર્વક રીતે રોકે છે અથવા ધીમા પાડે છે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.