હંમેશા બે મંડળીના સહભાગી
ઈસુએ તેમના શિષ્યોને સૂચના આપી હતી કે તેમણે નવા આત્મિક કુટુંબોની શરૂઆત કરવાનું કામ ચાલુ રાખવું જોઇએ, તેમને વધુ ને વધુ ઈસુ જેવા બનવા માટે વૃદ્ધિ પમાડવા જોઇએ, અને કેવી રીતે નવા આત્મિક કુટુંબોની શરૂઆત કરવી જોઇએ તે શીખવામાં મદદરૂપ પણ થવું જોઇએ.
તો કેવી રીતે આ બે બાબતો સાથે મળીને કામ કરે છે – આપણે કેવી રીતે એક મંડળીનો ભાગ હોવા છતાં નવી મંડળીઓની શરૂઆત કરવામાં સહભાગી બની શકીએ – કેવી રીતે આ બંને કાર્ય એકસાથે કરી શકીએ?
આ વિડિયો જુઓ
ઈશ્વરના વચનમાં આપણે શીખીએ છીએ કે આપણા માટેની તેમની યોજના તો આત્મિક કુટુંબ તરીકે જીવવાની છે. બાઇબલ આ કુટુંબને ત્રણ પ્રકારની મંડળી કહે છે:
- વૈશ્વિક મંડળી –ભૂતકાળના,વર્તમાનકાળના અને ભવિષ્યના દરેક વિશ્વાસીઓનું એકત્રીકરણ
- પ્રાદેશિક અથવા શહેરની મંડળી – એક શહેર કે દેશના એક વિસ્તારનું એકત્રીકરણ
- સામાન્ય મંડળી –વિશ્વાસીઓનું એવું એકત્રીકરણ કે જે કોઇ ઇમારત કે ઘરમાં નાના જૂથ તરીકે મળે છે
ચાર કુટુંબોની સામાન્ય મંડળી વિશે કલ્પના કરો. આ મૂળભૂત મંડળી તો એવું સ્થાન છે જેમાં આ પરિવારો સાથે મળીને જીવન જીવે છે –ભાઇઓ અને બહેનો તરીકે એકબીજાને પ્રેમ અને સારા કૃત્યો માટે ઉત્તેજન આપે છે. હવે આ ચારેય દંપત્તિઓ બીજા નવા આત્મિક કુટુંબોની શરૂઆત કરે છે એવી કલ્પના કરો. તેઓ જેમ તેમના નાના જૂથમાં એકઠા મળે છે તે જ જૂથમાં આ નવા આત્મિક કુટુંબો સહભાગી થતા નથી, પરંતુ આ દંપત્તિઓ તેમને નવા આત્મિક કુટુંબોની શરૂઆત અને વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. એક સામાન્ય મંડળીમાંથી નવી મંડળીઓની એક જ સમયે શરૂઆત થાય છે. ઈશ્વર કેવી રીતે પોતાના કુટુંબની ઝડપથી વૃદ્ધિ કરે છે તેનું આ એક ઉદાહરણ છે. આ રીતે ઝડપથી વૃદ્ધિ પામી શકે છે.
તો જ્યારે આ મંડળીઓની વૃદ્ધિ થાય છે અને તેઓ એવી નવી મંડળીઓની શરૂઆત કરે છે, જેઓ બીજી નવી મંડળીઓની શરૂઆત કરે છે ત્યારે શું થાય છે? તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી રહી શકે છે?કેવી રીતે તેઓ વિસ્તૃત આત્મિક કુટુંબ તરીકે જીવન જીવી શકે છે?તેનો ઉત્તર એ છે કે આ સામાન્ય મંડળીઓ વૃદ્ધિ પામતા શરીરના કોષો જેવી બને છે, અને શહેર કે પ્રાદેશિક મંડળીના માળખામાં જોડાયેલી રહે છે. મંડળીઓ એકબીજા સાથે સંબંધિત છે. તેઓ એક જ આત્મિક ડી.એન.એ. દર્શાવે. તેઓ બધી એક જ પ્રથમ ગુણાત્મક વૃદ્ધિ કરતા કુટુંબ સાથે જોડાયેલી છે. અને હવે – થોડા માર્ગદર્શન સાથે –તેઓ વધારે કામ કરવા માટે મોટા શરીર તરીકે સાથે મળે છે.
તમારી જાતને પ્રશ્ન પૂછો
● સતત આત્મિક કુટુંબ જાળવીરાખવાના કેટલાક ફાયદાઓ એ છે કે તે એવી નવી મંડળીઓને જન્માવે છે, જેઓ વૃદ્ધિ પામે છે, અને કુટુંબ તરીકે વૃદ્ધિ પામીને તેની વૃદ્ધિ થાય તે માટે તેને વિભક્ત કુટુંબ બનાવવાને બદલે તેની ગુણાત્મક વૃદ્ધિ કરે છે.
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.