ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે
ઝડપ મહત્વની છે, કેમ કે જેને આપણે “જીવન” કહીએ છીએ, તે ટૂંકા સમયથી આપણો અનંતકાળ નક્કી થાય છે.
ઈશ્વરનું વચન કહે છે કે ઈશ્વર આપણા વિશે ધીરજ રાખે છે – જેથી કોઇનો નાશ ન થાય, પણ સઘળાં માણસો ઈશ્વર તરફ ફરે અને તેમનું અનુસરણ કરે. ઈશ્વર આપણને વધારે સમય આપે છે, કેમ કે તે જાણે છે કે તેમણે આપણને જે કાર્યો કરવા માટે તેડ્યા છે તે કરવા માટે, અને જે બાબતો સંપાદીત કરવા માટે તેડ્યા છે તે કરવા માટે આપણી પાસે ટૂંકો સમય છે.
વધારે નીકટતાથી ઈસુનું અનુસરણ કરવા માટે આપણે તેમના લોકોને વધારે ઝડપથી અનુસરવા પડશે. આપણે ફક્ત આપણા સમયને લઇ શકીએ નહિ, પરંતુ આપણે તો આપણી ઝડપ પણ વધારવાની છે.
આ વિડિયો જુઓ
જો કે મંડળીનું કદ વધારે છે અને જગતની વસ્તીનો અગાઉ કરતાં મોટો ભાગ તેનો સહભાગી છે, છતાં પણ આપણે વસ્તીવધારાના દર મુજબ કાર્ય કરવામાં નિષ્ફળ નીવડીએ છીએ. તેનો અર્થ એ છે કે હાલના જે લોકો જીવિત છે તેઓમાંના અગાઉ કરતાં વધારે લોકો નાશમાં જઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિ સ્વીકાર્ય નથી.
આ કારણને લીધે ગુણાત્મક વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવા ખૂબ જ જરૂરી છે. નિયમિત ગુણાત્મક વૃદ્ધિ કરતી શિષ્યોની ટકાવારી ખૂબ જ જરૂરી અને મહત્વની છે.
તેના એક ઉદાહરણ માટે 10 વર્ષના સમયનું ઉદાહરણ જોઇએ. એમ માનો કે તમે એક શિષ્યથી શરૂઆત કરો છો, જે દર 18 મહિને બીજા નવા શિષ્યને તૈયાર કરે છે. નવા શિષ્યો પણ એવાં જ છે. 10 વર્ષમાં તમારી પાસે 64 શિષ્યો થશે. જો તે એક શિષ્ય અને નવા શિષ્યો દર 4 મહિનામાં બીજા શિષ્યોને બનાવે છે, તો 10 વર્ષમાં તમારી પાસે લગભગ 1 અબજ શિષ્યો હશે.
બીજા શબ્દોમાં કહીએ તો 10 વર્ષના સમયગાળામાં શિષ્યો બનાવવાનો સરેરાશ દર 18 મહિનાથી 4 મહિનામાં બદલાશે તો તેનો અર્થ એ નથી કે તેનું પરિણામ સાડા ચાર ગણું ઝડપી છે, પરંતુ તે 1.૫ કરોડ ગણું ઝડપી છે.
આ કાર્ય એ વાસ્તવિકતાને લીધે શક્ય છે કે નવા શિષ્યએ જે પ્રથમ કાર્ય કરવું જોઇએ તે કાર્ય તો એ છે કે તે જે શીખી રહ્યો/રહી છે તેને તે બીજા લોકોને પણ જણાવે છે. તેનો અર્થ એ છે કે તેઓ વિશ્વાસ કરે છે કે તરત જ તેઓ બીજા વ્યક્તિને ખ્રિસ્તની તરફ દોરી શકે છે.
જો શિષ્યો આજ્ઞાપાલનની અને તેઓ જે શીખ્યા છે તેને બીજા લોકોને જણાવવાની બમણી જવાબદારીની પદ્ધતિને ચાલુ રાખશે તો તેઓ પરિપક્વતાની આ પદ્ધતિ ચાલુ રહી શકશે.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- શા માટે ઝડપ મહત્વની છે?
- તમારા વિચારો,કાર્યો અને વલણો ઝડપ વિશેની ઈશ્વરની અગ્રિમતા સાથે સારી રીતે સુસંગત કરવા માટે તમારે કેવો બદલાવ લાવવાની જરૂર છે?
- આ અઠવાડિયે બદલાણ લાવવા માટે તમારે કઇ એક બાબત કરવાની જરૂર છે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.