પેઢીગત નક્શાનું આલેખન
પેઢીગત નક્શાનું આલેખન (એટલે કે –પેઢીઓની વિગતો) કે જે આગેવાનોને તેમની આસપસ વૃદ્ધિ પામી રહેલી ચળવળને સમજવામાં મદદરૂપ થાય એવું સરળ સાધન છે. તે ફળદાયી મંડળીઓને બતાવવામાં મદદરૂપ થાય છે, જેથી તે સતત રોકાણ અને ધ્યાન માગી લેતી બાબત છે.
પેઢીઓને દર્શાવતા વૃક્ષનો નક્શો કાગળ પર કે એક કરતાં વધારે કાગળો પર દોરી શકાય છે.
આ નક્શો ગુણાત્મક વૃદ્ધિમાં કે તાલીમમાં ક્યાં થોભવાની જરૂર છે તે બતાવવામાં મદદરૂપ થાય છે. ચળવળનું સ્વાસ્થ્ય આગેવાનો માટેની સૌથી મુખ્ય ચિંતા છે અને ફળદાયી થવું તે સ્વાસ્થ્યની માપણી ની મુખ્ય રીત છે.
પેઢીગત વૃક્ષના નક્શાનું ઉદાહરણ:
નોંધ રાખો કે આ પેઢીગત નક્શો ચાર પેઢીઓને દર્શાવે છે. એકાકી મંડળી નક્શાની પ્રથમ પેઢી છે. તેની બીજી પેઢીઓની ચાર મંડળીઓ છે, ત્રીજી પેઢીની નવ મંડળીઓ છે, અને ચોથી પેઢીની ચાર મંડળીઓ છે.
જૂથના મૂળ તત્વો
જૂથની પરિપક્વતા વિશેની મહત્વની માહિતી પાંચ સામાન્ય રીત દ્વારા નોંધી શકાય છે (ચાર પ્રકારની જમીનના નમૂના મુજબ દોરવું)
- આગેવાનનું નામ
- જૂથમાંનાશોધકોની સંખ્યા
- જૂથમાંના બાપ્તિસ્મા પામેલ વિશ્વાસીઓની સંખ્યા
- જવાબદારીના સંબંધોની સંખ્યા
- મંડળી તરીકે કાર્ય કરવું (હા/ના)
- બીજા જૂથની શરૂઆત કરેલ વ્યક્તિઓની સંખ્યા
જૂથની પરિપક્વતાનું આશાચિત્ર
દરેક મંડળી તેના આગેવાનના નામ, સ્થળ અને તેની સ્થાપનાની તારીખથી વર્ગીકૃત થાય છે. દરેક મંડળી પાસે ચાર પ્રકારની જમીનની આકૃતિ મુજબના ચાર ક્ષેત્રો સાથે સંકળાયેલી માહિતી હોય છે. ડાબી બાજુનો ઉપરનો ભાગ જણાવે છે કે કેટલા બિન-ખ્રિસ્તી લોકો આ જૂથમાં છે. (તે બધા જ શોધકોના જૂથ તરીકે હજુ સુધી મંડળીમાં રૂપાંતરિત ન થયું હોય એવું જૂથ હોઇ શકે છે). જમણી બાજુનો ઉપરનો ભાગ જૂથમાં બાપ્તિસ્મા પામેલા વિશ્વાસીઓની સંખ્યા જણાવે છે. જમણી બાજુનો નીચેનો ભાગ જવાબદારીના જૂથોમાં કેટલા સહભાગીઓ છે તેની સંખ્યા જણાવે છે. ડાબી બાજુનો નીચેનો ભાગ જૂથ મંડળી તરીકે કાર્ય કરે છે કે નહિ તે જણાવે છે. મધ્યભાગ જણાવે છે કે જૂથમાં કેટલા સહભાગીઓ બીજી પેઢીની મંડળીઓની શરૂઆત કરવામાં મદદરૂપ થાય છે.
આવી પેઢીગત માહિતી વિવિધ સ્તરે ઉપયોગી બને છે. આ માહિતીને શોધવાની પ્રક્રિયા એ ખાતરી કરવામાં મદદરૂપ થાય છે કે દરેક સ્તરે યોગ્ય રીતે માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજું એ કે, વ્યક્તિગત આત્મિક કુટુંબો અને વિસ્તૃત માળખાના બળ અને નિર્બળતાના સંકેતો પૂરા પાડે છે. બળ અને નિર્બળતાના નમૂના ઘણીવાર આવા મૂલ્યાંકન દ્વારા પ્રગટ થાય છે.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- જો તમે અત્યારે પેઢીગત નક્શો દોરી શકતા નથી, તો શું તમે ઈશ્વર પર એવો વિશ્વાસ કરો છો કે એક દિવસે ઈશ્વર તમારા દ્વારા આવું કામ કરશે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.