શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો
શાંતિનો પુત્ર જ્યાં ઈસુના અનુયાયીઓ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે ત્યાં પણ શિષ્યો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવામાં મદદરૂપ થઇ શકે છે. તે વ્યક્તિ કોણ હોઇ શકે અને તમને તે મળ્યો છે તે કેવી રીતે જાણી શકો તે માટે નીચે જણાવેલ વિડિયો જુઓ.
આ વિડિયો જુઓ
જ્યારે તમે જ્યાં થોડા અથવા તો એક પણ શિષ્યો નથી ત્યાં શિષ્યો બનાવવા માગો છો, તો શાંતિનો પુત્ર શોધવો તે તમારા માટે સૌથી મહત્વનું કાર્ય હશે.
શાંતિનો પુત્ર એટલે એવી વ્યક્તિ:
- જે તમારી વાત, ઈશ્વરની વાત અને ઈસુની સુવાર્તા સાંભળવા માટેની ઇચ્છા રાખે છે.
- જે પરોણાગત કરવામાં તત્પર છે અને તેમના ઘરમાં કે કાર્યસ્થળે તમને આવકારે છે અને તેના કુટુંબીજનો અને મિત્રોને પણ બોલાવે છે.
- જે બીજા લોકોને ઓળખે છે (અથવા બીજા લોકો તેમને ઓળખે છે) અને નાના જૂથને અથવા મોટા ટોળાંને ત્યાં એકઠા કરવા માટે ઉત્સુક છે.
- જે વિશ્વાસુ છે અને બીજાઓ સાથે રહીને તે જે શીખ્યા છે તેને – તમારા ગયા પછી પણ બીજાઓને શીખવે છે.
શાંતિના પુત્રને ઓળખવાની સરળ રીતો:
- સમુદાયમાંથી લોકોની ભલામણો માગો – “અહીં વિશ્વાસુ વ્યક્તિ કોણ છે? શું આ સ્થળે એવી કોઇ વ્યક્તિ છે જે પોતાના કરતાં બીજાઓને આગળ રાખવાનો વિચાર કરે છે?”
- ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરતી વખતે અથવા તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં તમને મળતા કોઇ વ્યક્તિ માટે પ્રાર્થના કરો.
- ઈશ્વર કોઇ વ્યક્તિના જીવનમાં કાર્ય કરી રહ્યા છે તે જોવા માટે દરેક વાતમાં આત્મિક વિચારોનો પરિચય આપો.
આપણે કેવી રીતે તે વ્યક્તિને મળીશું તેનાથી કોઇ ફરક પડતો નથી, પરંતુ એ વાત યાદ રાખો કે ઈસુએ એમ કહ્યું છે કે શાંતિનો પુત્ર તો એવી વ્યક્તિ છે જેની સાથે આપણે શિષ્ય બનાવવા માટે આપણો મોટા ભાગનો સમય ગાળવો જોઇએ.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- કોઇ વ્યક્તિની “શાખ ખરાબ હોય” એવી વ્યક્તિ (જેમ કે સમરૂની સ્ત્રી અથવા તો ગાડરેનો અશુદ્ધ આત્મા વળગેલો માણસ) શાંતિનો પુત્ર બની શકે? શા માટે અથવા તો શા માટે નહિ?
- તમારી નજીકમાં કયો સમુદાય કે સમાજનો કોઇ ભાગ એવો છે જ્યાં ઈશ્વરનું રાજ્ય થોડું હોય અથવા તો સહેજ પણ ન હોય એવું લાગે છે? કેવી રીતે શાંતિનો પુત્ર (જે ઉત્સુક, પરોણાગત કરનાર,બીજાઓને ઓળખનાર અને ઈસુની વાત કહેનાર છે તે) તે સમુદાયમાં સુવાર્તાનો પ્રસાર ઝડપી બનાવી શકે છે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.